12/02/2025
શ્રી આશાપુરા ગીર ગૌશાળા
A2 શુદ્ધ ઘી100℅
( mo-8849669706)
■।। यदा जीवेत सुखं जीवेत, ऋण कृत्वा घृतं पीवेत’ ।। મતલબ કે જ્યાર સુધી જીવો ત્યાર સુધી સુખેથી જીવો, ઉધાર લો અને ઘી પીવો.
■ દેશી ગાય ના ઘી ને घृतं, तूप, घिया, clarified butter તરીકે ઓળખવામાં આવે છે.
■ ભરપૂર ઉર્જા, વિટામિન, જરૂરી ફેટી એસિડ અને લાંબા સમય સુધી સચવાઈ રહેતું હોવાથી ઘી નો રાંધવામાં 80% જેટલો ઉપયોગ થાય છે. બાકીના 20% જેટલો ઘી નો ઉપયોગ ધાર્મિકવિધિ, હવન યજ્ઞમાં થાય છે. જો કે હવે આમાં પણ ભેંસનું ધી, નકલી ઘી, હાડકાંનું ઘી વાપરવામાં આવે છે, જેની બુદ્ધિશાળી આધુનિક મનુષ્યજાત ને 100% જાણ હોતી જ નથી.
■ ઘી ને 28 ડિગ્રીએ ગરમ કરતા ઓગળી જાય છે. ઘી ની આયોડીન રેન્જ વેલ્યુ 26 થી 38 હોય છે. ઘી ની RM (Reichert meissel) વેલ્યુ 26 થી 29 વચ્ચે હોય છે, અને જે ગાય કપાસિયા બીજ કે ખોળ ખાતી હોય તે ઘી ના RM વેલ્યુ 20 કરતાં પણ ઓછા આવે છે. ઘી ના પોલેન્સકે નંબર (polenske number) 2 થી 3 વચ્ચે હોય છે જે ભેંસના ઘી થી વધારે હોય છે.
■ ઘી બનાવવાની ઘણીબધી પદ્ધતિઓ છે જેમાં વૈદિક પદ્ધતિ દ્વારા દેશી વલોણા થી, બટર ક્રીમ ને ગરમ કરી ને, મલાઇ ને મેળવી ને, કેમિકલ દ્વારા, ભેળસેળ દ્વારા બનાવવામાં આવે છે. આ બધી પદ્ધતિઓમાં સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ દૂધને માટીના વાસણમાં મેળવી ને દહીં બનતાં તેને વૈદિક વલોણું થી વલોવી માખણ બનતા તેને ધીમા તાપે ગરમ કરતા ઘી બને છે. અન્ય પ્રકાર ના ઘી માં હળદર તેમજ સુગંધી એસેન્સ ભેળવવામાં આવે છે જ્યારે દેશી ઘી માં તેની કુદરતી સુગંધ હોય છે. તેમજ ખાસ બાબત કે આ દેશી ઘી માં કોઈ પણ પ્રકારનું પ્રીઝર્વેટીવ નાખવું પડતું નથી.
■ ગાયના ઘી માં વિટામિન -A, વિટામિન - K, ગ્લિસરાઇડ (glycerides), ફેટી એસિડ, ફૉસ્ફોલિપિડ, સ્ટેરોલ (sterols), કાર્બોનીલ, હાઈડ્રોકાર્બન, કેરોટનોઈડ (carotenoids), કેસીન (caesins), કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહતત્વ, કેરોટીન (carotene), રીબોફ્લેવિન (riboflavin), પેંટોથેનેટ (pantothenate), ટોકોફેરોલ (tokopherol), CLA (કંજકટેડ લીનોલેક એસિડ) જેવા તત્વો હોય છે જે સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
■ ગાયના ઘી માં બ્યુટીરીક એસિડ (butyric acid) હોય છે જે T- cell ને મદદ કરે છે જેથી શરીરમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિનું નિર્માણ થાય છે.
■ ગાય ના ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ માં વધારો થતો નથી, કાર્ડિયોવેસ્ક્યુલર ડીસીઝ ( હૃદય રોગ હૂમલો, સ્ટ્રોક, લોહી ના ગંઠા થવા) થતો નથી તેમજ ગેસ્ટ્રીક એસિડ (gestric acid) ને સક્રિય કરે જેથી પાચનક્રિયા સુદ્રઢ બને છે.
■ ટૂંકમાં, દેવું કરીને પણ દેશી ગાયનું અસલી ઘી જ ખાવું પીવું. નકલી ઘી થી તો માર્કેટ છલોછલ છે. ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ દેશીગાયની ગૌશાળા દ્વારા નિર્મિત ઘી જ ખરીદવું.
■■ *આરોગ્ય નું સંપૂર્ણ રખેવાળ : દેશી ગાયનું દેશી ઘી*■■
★ દેશી ગાય ના ઘીમાં મુખ્યત્વે ફેટી એસિડ, સેચ્યુરેટેડ ફેટ, મોનો સેચ્યુરેટેડ ફેટ, પોલી સેચ્યુરેટેડ ફેટ, ઓમેગા ફેટી એસિડ, વિટામિન A B C D E અને થોડીક માત્રામાં પાણીનો ભાગ હોય છે.
★ દૂધની અંદર રહેલા CLA (conjugated linoleic acid), સ્પીંગોમાયેલીન (sphingomyelin), બ્યુટીરીક એસિડ (butyric acid) અને લિપિડ ને કારણે anti carcinogenic (કેન્સર થતું અટકાવનાર)ના ગુણધર્મો ઘી માં જોવા મળે છે. આ ઉપરાંત anti oxidant જેવા કે વિટામિન ઈ અને બીટા કેરોટીન પણ હોય છે.
★ *ગાયના ઘી માં રહેલા પોષકતત્વો અને તેમનું મહત્વ નિમ્નલિખિત છે.*
◆ *વિટામિન* :◆
● વિટામીનનું સૌથી શ્રેષ્ઠ સોર્સ દેશી ગાયનું ઘી છે.
● વિટામીન A થી આંખમાં આંધળાપણું આવતા અટકે છે.
● વિટામીન E થી નોર્મલ ડિલિવરી શક્ય બને છે.
● વીટામીન D ને કારણે ખોરાકમાંનું કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાને મળી શકે છે જેથી બાળક અને સગર્ભા સ્ત્રીઓના ગર્ભના હાડપિંજર (skeleton) નો વિકાસ બહુ સારો થાય છે.
● સ્પેકટ્રોસ્કોપીક એનાલિસિસ (spectroscopic analysis) ને આધારે માલુમ પડ્યું કે ગાય ના ઘી માં વિટામીન B-12, વિટામીન D અને વિટામીન K ની માત્રા ભેંસ ના ઘી કરતાં ઘણી વધારે છે.
◆ *CLA (conjugated linoleic acid)* ◆
● CLA ના બાયોલોજીકલ એક્ટિવ કંપાઉન્ડને લીધે કેન્સર અટકાવનાર (anti carcinogenic), એન્ટી એલર્જિક અને એન્ટી ઈનફલેમેટરી ગુણધર્મો જોવા મળે છે.
● CLA ને કારણે હૃદયરોગ (cardiovascular disease) થવાની શકયતા બહુ ઓછી છે.
● ઉંદર પરના પરીક્ષણને અંતે એવું પ્રમાણિત થયું છે કે CLA ને કારણે સૌમ્ય ગાંઠ(benign tumor) નહીં પરંતુ કેન્સરની ગાંઠ (malignant tumor) ને નિયંત્રિત કરી શકાય છે.
◆ *ઘા / વ્રણ મટાડવાના ઘી ના ગુણધર્મો ( wound healing properties)* ◆
● jathikalpa ghrita ની સારવારથી થી 110 દર્દીઓના પાઈલ્સ, ફિસર અને ભગંદરના રોગના પરીક્ષણમાં માત્ર 16 થી 20 દિવસમાં 52 ટકા જેટલા દર્દીઓમાં રિકવરી આવી ગઈ હતી.
● એલોવેરા સાથે ગાયનું ઘી થી આયુર્વેદિક મિશ્રણ બનાવતા બહુ સારી ઘા મટાડનાર પ્રક્રિયા જોવા મળી હતી.
◆ *ડાયાબીટીસ રોગમાં ગાયના ઘી નું મહત્વ:* ◆
● ગાયના ઘીમાં રહેલ કેરોટનોઈડ્સ (carotenoids), વિટામીન A,D,E , મેગ્નેશિયમ અને કેલ્શિયમને કારણે એન્ટીડાયાબેટીક ગુણધર્મો જોવા મળે છે.
● ગાયના ઘીમાં લીનોલેઈક એસિડ (Linoleic acid) ને કારણે લ્યુકોટ્રી ન્સ (leucotrines), પ્રોસ્ટા ગલેડીન્સ (prostagladins) અને ઈન્ટરલ્યુંકિન્સ (interleukins) માં ઘટાડો થાય જેથી ડાયાબિટીસ ને કારણે થતા હૃદય રોગ તેમજ સ્કેલરોસીસ જેવા રોગ થતાં નથી.
◆ *ઘી પાચનક્રિયા સુદ્રઢ કરે : ◆
● શાકભાજી કઠોળ અને માંસ કરતાં ગાયનું ઘી વધારે ઝડપથી પચે છે.
● ગાયનું ઘી પેટમાં જતાંની સાથેજ ઇમલઝન (emulsion) ફોર્મમાં આવી જાય છે જેથી ઝડપથી પચી શકે છે જ્યારે શાકભાજી કે અન્યકોઈ ખાદ્યપદાર્થના પાચનને માટે પિતરસ (bile), પેનક્રિયાટીક પાચકરસ (pancreatic enzyme) ની જરૂર પડે છે.
◆ *આંખના ઉંજણ તરીકે ( eyelubricant activity) : ◆
● કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ ( computer vision syndrome) માટે ગાયનું ઘી અતિશ્રેષ્ઠ અને ઉત્તમ છે.
● ગાયના ઘીમાં રહેલ ગલીસરાઇડ અને ફેટીએસિડને કારણે લુબ્રિકેટિંગ ના ગુણધર્મો ધરાવે છે.
◆ *ગાયના ઘીમાં એન્ટીકેન્સર ના ગુણધર્મ પણ રહેલા છે.*
◆ આયુર્વેદ માં ઘણા બધા ઔષધીયુક્ત ઘીના ઉલ્લેખ છે જેમાં અમૃતપ્રાશ ઘૃત, અશોક ઘૃત, કલ્યાણ ઘૃત, અર્જુન ઘૃત, ધાત્રયદિ ઘૃત અને અશ્વગંધા ઘૃત જેવા અનેક ઘૃતના ઉલ્લેખ છે અને સાંપ્રતકાળમાં ઘણાં વૈદ્ય અને આયુર્વેદિક ડોકટરો ઉપયોગ કરતા હોય છે.
◆ ટૂંકમાં, ગાયના ઘીના હજ્જારો ગુણો છે અને ઘણાં રોગને જન્મ આપતાં જ અટકાવે છે.. બસ શરત એ છે કે *અસલી ઘી હોવું જોઈએ અસલી.. દેશી ગાયનું ઘી હોવું જોઈએ.. વલોણા પદ્ધતિ થી ઘી બનેલ હોવું જોઈએ.. જી.આઈ.ડી.સી. ની ફેક્ટરીને બદલે ગૌશાળામાં બનેલ ઘી હોવું જોઈએ..*
Mo 8849669706
(બુદ્ધિશાળી અને જ્ઞાનપીપાસુ માટે
જય હો દેશી ગાવડી
જય હો ભગવાન ધન્વંતરિ