Prayosha farm

Prayosha farm There are 15 cows in Narayanswarup Desigir Gaushala. Dhubati is made by Gaushala. Narayanaswaroop Desigir gaushala has 15 Gir cows.

Dhupbati are made from cow dung, certified HavanSamagri, camphor, resin (RAAL), ghee and honey by the gaushala. This incense stick is available in three flavors namely Chandan-Gugal, Havan and Baby.

11/02/2026

કોપી કરો.. શેયર કરો..
અગરબતી કરવી કે ધૂપ કરવો? તમે નક્કી કરો
#હવન #ધૂપબતી #ગોબર #ગાય #ગૌશાળા
#ગૌ #ગૌમાતા

20/12/2025

✅પ્રયોશા ગોબર ધૂપબત્તી✅

🐮પ્રયોશા ધૂપબત્તી દેશી-ગાયના ગોબર, હવનસામગ્રી, ગૂગળ, ભીમસેની કપૂર, જટામાસી, ધી અને નેચરલઓઇલ દ્વારા નિર્મિત છે.

🔥ધૂપબત્તી સળગાવવાથી ઘર, ઓફિસ,ફેક્ટરી નું વાતાવરણ શુદ્ધ, પવિત્ર, દિવ્ય, 🦠બેક્ટેરિયા 🧫વાયરસમુક્ત થાય છે સાથે સાથે 🕊️માનસિક શાંતિનો અનુભવ થાય છે તેમજ નકારાત્મક ઉર્જા અને નવગ્રહ પીડાથી મુક્તિ મળે છે.

#️⃣ ધૂપબત્તીમાં ચંદન-ગુગળ, હવન, વૈષ્ણવી-ફ્લોરા, ગુલાબ, પારિજાત, પવિત્રગુગળ, સુખડ, જવાધુ, અગર, લવેન્ડર, ચંપા, કેવડા, લોબાનવગેરે વગેરે જેવી 29 ફ્લેવર ઉપલબ્ધ છે.🎁

🛒 ધૂપબત્તી ખરીદી દ્વારા આપશ્રી ગૌસેવા, ગૌરક્ષા અને ગૌ સંરક્ષણમાં અદભુત ફાળો આપી રહ્યા છો. અમો આપશ્રીની ઘણા વર્ષો સુધી 💁‍♂️સેવા કરવા આતુર છીએ.🙏

📦ધૂપબત્તી મંગાવવા માટે : https://wa.me/c/919904829278

🙏🙏જય શ્રી ગૌમાતા.. Team પ્રયોશા ધૂપબતી🙏🙏
#ધૂપબતી #ધૂપ #ગૌશાળા #ગોબર #ગૌસેવા #ગાય #કથા

બસ આવા નેતાઓની જરૂર છે આ દેશમાં   #ગૌસેવા  #ગૌશાળા  #ગાય  #ગોબર  #ધૂપબતી
02/12/2025

બસ આવા નેતાઓની જરૂર છે આ દેશમાં
#ગૌસેવા #ગૌશાળા #ગાય #ગોબર #ધૂપબતી

23/11/2025

🪷 મહાભારતમાં દેશી ગાયનો મહિમા 🪷

🕉️ એકવાર યુધિષ્ઠિર રાજાને યક્ષ એ પ્રશ્ન પૂછ્યો કે આ પૃથ્વી ઉપરનું અમૃત ક્યુ છે? ત્યારે યુધિષ્ઠિર રાજાએ જવાબ આપ્યો "દૂધ"

🕉️ અત્યારના યુગમાં પણ આ દેશી ગાયનું દૂધ અમૃત છે ભેળસેળ વાળું કે નકલી દૂધ છે તે અમૃત નથી પણ ઝેર છે.

🕉️ આથી તો કહેવાયું છે ઘી છે એ સાંભળવામાં નથી આવતું, દહીં એ તો સપનામાં નથી આવતું તો પછી દૂધની તો વાત જ શું કરવી અને છાશ તો ઈન્દ્ર રાજા ને પણ દુર્લભ છે. 👑

🕉️ આ વાત તદ્દન સાચી છે કે શુદ્ધ ઘી અસલી ઘી દેશી ગાયના વલોણાનું ઘી એ બહુ ઓછું સાંભળવા મળે છે, ભેળસેળવાળો ઘી નકલીઘી પૂજાપાના ઘીના નામે આ બધા તમારી થાળી સુધી પહોંચી ગયા છે🥛
🕉️ દહીં છે એ અત્યારે દૂધને છાશ અથવા માખણથી મેળવવાને બદલે કલ્ચર અને બેક્ટેરિયાથી મેળવવામાં આવે છે.

🕉️ દૂધ છે એ તો ભેળસેળ વાળું જ મળી રહ્યું છે નકલી જ મળી રહ્યું છે આખા ભારતની 60 ટકા વસ્તી નકલી દૂધ ખાઈને મોજ મજા કરે છે પોતાનું પેટ ભરી રહી છે.🍼

🕉️ અને છાશ છે એ પણ દુર્લભ છે મમરા અને લીંબુના ફૂલ વાળી છાશ છે અત્યારે માર્કેટમાં ધૂમ મજા આવે છે🧈

🤟🙏 શુદ્ધ ખાવ ભલે ઓછું ખાઓ ભેળસેળ વગરનું કે નકલી ખાવાને બદલે ચોખ્ખું શુદ્ધ અને દેશી ગાયની ગૌશાળા માંથી વસ્તુ ખરીદીને ખાવાનો આગ્રહ રાખો🔊

🔊🔊🔊અસ્તુ જય ગૌમાતા🙏🙏🙏🙏

☠️ભયાનક પ્રદુષણ નું સમાધાન ગોબર ધૂપબતી, યજ્ઞ અથવા અગ્નિહોત્ર હવન🔥 ☠️ ધમધમતા કારખાનાઓ માંથી નીકળતો 😱હાનિકારક ધુમાંડો, મોટ...
30/10/2025

☠️ભયાનક પ્રદુષણ નું સમાધાન ગોબર ધૂપબતી, યજ્ઞ અથવા અગ્નિહોત્ર હવન🔥

☠️ ધમધમતા કારખાનાઓ માંથી નીકળતો 😱હાનિકારક ધુમાંડો, મોટર રેલવે બોટ માંથી નીકળેલો હાનિકારક ગેસ, પરમાણુ વિકિરણ, ઘોંઘાટ અને તળાવોને હાનિકારક કેમિકલો થી જે બગાડવામાં આવ્યા છે તેને કારણે આખું પર્યાવરણ પ્રદૂષિત થઈ ગયું છે.

☠️ પર્યાવરણ એ હદે પ્રદૂષિત થઈ ગયું છે કે આપણે શ્વાસમાં પણ ઝેરનો ધુમાડો લઈએ છીએ સાથે સાથે જે ⛈️વરસાદ પડે છે તે પણ હાનિકારક પ્રદૂષિત હવાને સાથે ભળીને આવે છે જેને પરિણામે પાણી પણ પ્રદૂષિત થઈ ગયા છે.

☠️ 🌴વૃક્ષો ઉગાડવાની જગ્યાએ કપાઈ રહ્યા છે વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે 🏭કારખાના મોટર બોટની સંખ્યાઓ વધી રહી છે પરિણામે જે વાયુમંડળ છે એમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું છે અને પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે

🔥 કારખાના માંથી નીકળેલો 💨ધુમાંડો અને ધૂપબતી, યજ્ઞ કે હવનમાંથી નીકળેલો ધુમાંડો એ બંનેમાં જમીન આસમાન નો ફરક હોય છે અને બંનેમાં ઉત્પન્ન થતા કાર્બન અલગ પ્રકારના હોય છે. સુગંધીત હવન સામગ્રી અને દુર્ગંધિત કારખાનાના ગેસમાં ઘણો ફરક હોય છે.

🔥 विषस्य विषमौसधम મતલબ ☣️ઝેરનું મારણ ઝેર☣️ આ હોમિયોપેથિકનો સિદ્ધાંત સર્વ માન્ય છે. આ હોમિયોપેથીક સિદ્ધાંત અનુસાર જે હાનિકારક ધુમાડાથી ઉત્પન્ન થતી વિકૃતિને હવન સામગ્રીના સુગંધિત ધુમાડા તેમજ ઊર્જા દ્વારા નાશ કરી શકાય છે.

🔥🛌આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે વાયુપ્રદુષણથી દમ, કેન્સર, અનિંદ્રા, તણાવ, હૃદય રોગ, ડાયાબિટીસ અને માનસિક ઉદ્વેગ જેવી બીમારીઓ થાય છે.🛌

🔥 🧎‍♀️એક સામાન્ય વ્યક્તિ એક કલાકમાં 600 લીટર હવા ફેફસા વાયુકોષ્ઠો અને ચામડીના માધ્યમથી વાતાવરણમાંથી ખેંચે છે. 24 કલાકમાં આ માત્રા 14,500 લીટર જેટલી થાય છે. એક મિનિટમાં 300 ml ઓક્સિજન શરીરની અંદર જાય છે અને 250 મિલીલિટર કાર્બનડાયોક્સાઇડ બદલામાં શરીરની બહાર નીકળે છે. હવે જો ગીચોગીચ માણસોની સંખ્યા હોય આજુબાજુ કોઈપણ પ્રકારનું 🏞️જંગલ ન હોય અને લટકામાં પ્રદૂષણ ભયંકર હોય તો તમે કલ્પના કરી શકો કે જે આપણા શ્વાસમાં હવા જાય એમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું હોઈ શકે અને શુદ્ધ ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય?? આને કારણે જ માણસોના 🩸લોહીમાં એસીડીટી વધે છે માનસિંગ સંતુલન ખોરવાઈ જાય છે તણાવ પેદા થાય છે અને આમ ગણો તો 🫁શ્વાસ ઘૂંટાઈ જાય જેવી સ્થિતિજ પેદા થાય છે. અને 🏞️લીલોતરી નું પ્રમાણ પણ કેટલું? વૃક્ષોનું પ્રમાણ પણ કેટલું? એટલે આવા સમયે એકમાત્ર જ સમાધાન છે ગોબર ધુપબતી હવન કે અગ્નિહોત્રી યજ્ઞ!!!🔥🔥

🔥 આ ગોબર ધુપબતી, હવન કે અગ્નિહોત્રી યજ્ઞમાં 🐮ગાયના ગોબર ની સાથે હવન સામગ્રીઓ વિવિધ પ્રકારની અને સાથે સાથે જવ તલ ઘી નો ઉપયોગ થાય છે જેને પરિણામે ઈથીલીન ઓક્સાઇડ, પ્રોપ્લિન ઓક્સાઇડ, ફોર્મલડીહાઈડ, બીટાપ્રોપીયો લેકટેન અને એસીટીલીન જેવા ગેસ🌫️ ઉત્પન્ન થાય છે જે વૃક્ષ વનસ્પતિની વૃદ્ધિ કરે છે અને પર્યાવરણમાં રહેલા ઘાતક જીવાણુ-વિષાણુઓનો નાશ કરે છે.🦠

🔥 મનુષ્યનું ⚰️મૃત્યુ થાય ત્યારે ભારતીય પરંપરામાં 🔥અગ્નિસંસ્કાર કરવાની પ્રથા છે. આ અંત્યષ્ઠી યજ્ઞ છે, જેમાં ઘી સાકર પણ શરીર પર લગાવવામાં આવે છે જેથી શરીર સળગાવાથી ઉત્પન્ન થતા દુર્ગંધિત વાયુ તેમજ હાનિકારક જીવાણુઓનો નાશ થઈ જાય.🦠🦠🦠

🔥વાતાવરણને પ્રસન્ન આરોગ્યવર્ધક બનાવવા માટે ભારતીય પરંપરામાં દરેક શુભ કાર્ય ની શરૂઆત હવનથી કરવામાં આવે છે. હવન ને મંગળ કાર્ય શુભ કાર્ય ગણવામાં આવે છે. આ યજ્ઞ,ગોબર ધૂપબતી અને હવન શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક પ્રસન્નતા વધારનાર છે.🤩🤩🤩

🔥 અંતમાં !!! 🗣️માનવજાતિના ભલા માટે વાતાવરણની શુદ્ધિ માટે કોઈને કોઈ રૂપમાં એટલે કે ગોબર ધુપબતી, યજ્ઞ કે હવનને દૈનિક જીવનના ભાગમાં સમાવેશ કરવા જોઈએ. આપ આપની આસપાસની ગૌશાળા દ્વારા નિર્મિત ગોબર ધુપબત્તિ ખરીદી શકો છો અથવા તો આપ પ્રયોશા ધૂપબતીનો ઉપયોગ પણ કરી શકો છો.

🔥🙏અસ્તુ જય ગૌમાતા જય ગોવિજ્ઞાન જય હો યજ્ઞદેવ🙏🔥

https://wa.me/c/919904829278

 #દેશી  #ગાયનું  #મહત્વ    પ્રકૃતિએ જેટલી ચમત્કારી વસ્તુઓં આપણને પ્રદાન કરેલ છે તેમાંથી એક છે દેશી ગાય. ગૌમાતા આપણાં બધા...
16/10/2025

#દેશી #ગાયનું #મહત્વ

પ્રકૃતિએ જેટલી ચમત્કારી વસ્તુઓં આપણને પ્રદાન કરેલ છે તેમાંથી એક છે દેશી ગાય. ગૌમાતા આપણાં બધાંની માતા છે, એટલાં માટે ગૌમૂત્ર જેવી વસ્તુ જે માનવો માટે એટલી લાભદાયી છે, આપણાં માટે જ તેને છોડે છે. તેથી આપણે ગાય માતા દ્વારા છોડેલી બધી વસ્તુઓ વિશે ગંભીરતાપૂર્વક જાણવું જોઈએ અને જેમ બને તેમ આપણે તેનો સદુપયોગ કરવો જોઈએ.

દેશી ગાયનો મતલબ કે જે ગાયોના પીઠ પર કન્ધો નિકળ્યો હોય અથવા કૂબડ(ખૂંધ) નિકળી હોય તે દેશી ગાય છે. જે ગાયોની પીઠ સપાટ છે, તે જર્સી કે વિદેશી ગાય છે.

ગાય સંપૂર્ણ શાકાહારી જીવ છે. અત: ગાય જે પણ વસ્તુઓ ખાય છે તે બધી વસ્તુઓ જમીનથી પ્રત્યક્ષ રુપે જોડાયેલી હોય છે. જેના કારણે માટીનાં બધાં પોષક તત્વો ગાયના ગોબર, ગાયના મૂત્ર ગાયના દૂધ અન્ય માધ્યમથી આપણને મળે છે. અત: ગાયના શરીરમાંથી નીકળતી દરેક વસ્તુ ઔષધિ હોય છે.

ગાયનો સ્વભાવ બીજાં અન્ય પશુઓની તુલનામાં અલગ હોય છે. જેવી રીતે ગાયના સ્વભાવમાં વાત્સલ્ય છે, એવું વાત્સલ્ય બીજાં કોઈ જીવમાં જોવા નથી મળતું. બધાં જીવોમાં વાત્સલ્ય પ્રેમ તો હોય જ છે પણ ગાયમાં તે અલગ હોય છે. આ વાત્સલ્ય પ્રેમ અમુક વિશેષ રસના કારણે પેદા થાય છે, જેનો સીધી અસર ગાયની બધી દૈનિક ક્રિયાઓ પર પડે છે અર્થાત ગાય તેના જીવનમાં જે કઈ પણ ખાય-પીયે છે તેનાં પચન-પાચનમાં તેજ વાત્સલ્યનાં રસોનો પ્રભાવ હોય છે જેના કારણે ગાય દ્વારા છોડવામાં આવતાં મૂત્ર, ગોબર, દૂધ આદિમાં પણ તેની અસર થાય છે.

શાસ્ત્રોના અનુસાર માઁ કહેવાનું મનુષ્ય એ ગાયથી શીખ્યું છે. શાસ્ત્રોના અનુસાર ગાય ઈશ્વરના સૌથી નજીક છે. ગાયમાં બીજાં જીવોની અપેક્ષાએ વિકાર ખૂબ જ ઓછો છે અર્થાત તે છે જ નહીં. જેના ઘરમાં ગાય હોય છે, તેમનાં ત્યાં કોઈ પણ વસ્તુની કમી નથીં હોતી. આનંદ,સુખ, સમૃદ્ધિની ક્યારેય પણ કમી નથી હોતી. આજનું વિજ્ઞાન આજ સુધી શોધ કરીને #૪૮ બીમારીયોને જડથી ખત્મ કરીને સિદ્ધ કરી ચુક્યું છે. જેમાં મુખ્ય છે– જોડોનો દર્દ કોઈપણ પ્રકારની પિત્ત ની બિમારીઓ, કોઇપણ પ્રકારની કફ ની બિમારીઓ, બીજી બિમારીઓ પર પણ શોધ કાર્ય ચાલું છે.

ગાયનાં મૂત્રમાં ધનવંતરીજી, ગોબરમાં લક્ષ્મીજી, ગાયનાં ગળામાં શંકર ભગવાનનો વાસ છે. ધનવન્તરી આરોગ્યના માટે જ ઉત્પન્ન થયાં હતાં. ગોબરની ખાદ્ થી ખેતરોમાં યુરિયા અને ડી.એ.પી ની અપેક્ષાએ બે થી ત્રણ ગણી ઉત્પાદકતા વધારે છે અર્થાત ગોબરમાં લક્ષ્મીજી વાસ કરે છે તેવું આપણે કહી શકીએ.

ગાયનાં ગોબરમાંથી નિકળેલી ગૅસથી ઘરનો ચુલો તો જળે જ છે પણ તેની સાથે સાથે કોઈપણ ગૅસ થી ચાલનારી ગાડી પણ ચલાવી શકાય છે. દિલ્લી IIT ની બધી ગાડીઓ ગોબર ગૅસથી જ ચાલે છે.

સુપ્રીમ કોર્ટનો એ નિર્ણય છે કે ગાય જો દૂધ નથી આપતી તો પણ એટલી જ કિંમતી છે જેટલી દૂધ દેતી સમય હોય છે. કમ્પ્રેસરની મદદથી કોઈપણ સિલેન્ડરમાં ગૅસ ભરી શકાય છે. ગોબર ગેસનાં સિલેન્ડરની સામાન્ય કિંમત રૂ. #૬૭ રુપિયા હોય છે. જે ગાડી 1 લીટર પેટ્રોલમાં 20 કિ.મી. ચાલે છે, તેમ જ ચાર પૈડાવાળી ગાડી ગોબર ગેસથી 33 કી.મી. ચાલશે. જો પ્રતિ કી.મી. કાર ચલાવવાનો ખર્ચો પેટ્રોલના કેસમાં 6.5 રુપિયા છે અને ડીઝલનો ખર્ચો 4.5 રુપિયા હોય છે, એ જ ગોબર ગેસ થી ચલાવવાનો ખર્ચો 1.15 રુપિયા આવે છે.

ભારતમાં 34 કરોડ ગાયો જોઈએ, જેનાથી પુરા ભારતમાં ઈંધણ અને ખાદ્ ની પૂર્તી થઈ શકે છે. એક ગાય એક દિવસમાં 10 કિલો ગોબર આપે છે. 34 કરોડ ગાયો હોવાનું ફક્ત સંભવ છે જ્યારે તે કાપવાનું બંધ થાય. એટલાં માટે ગાયોનું સંરક્ષણ શરૂ કરો.

ભારતની ગાય (દેશી ગાય) ઓછામાં ઓછી 20 વર્ષ જીવીત રહીં શકે છે અને 20 વર્ષોમાં ઓછામાં ઓછી 16 વખત તે માં બની શકે છે. જર્સી ગાય 8 થી 9 વર્ષ જીવીત રહે છે અને આ 8-9 વર્ષોમાં 5 થી 6 વખત માં બની શકે છે. આખા બ્રહ્માંડમાં ગાય જેવી કોઈ બીજી વસ્તુ કે જીવ ભગવાને નથી બનાવ્યો, આવું મહર્ષિ વાગભટ્ટજી કહે છે. દેશી ગાયનું વાછરડું જ બેલ બને છે. એટલાં માટે જ આપણે ગૌમાતાની સેવા કરવી જોઈએ. આના સંરક્ષણ માટે ગાયની સેવા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

કિલ્લારી ગાયોની આંખો ગુલાબી હોય છે અને આ ગાયનાં રોજ સવારમાં દર્શન કે સ્પર્શ કરવાથી ડિપ્રેશન/હતાશા જેવી બિમારીઓ ખત્મ થઈ જાય છે. આમ તો જે લોકોને ડિપ્રેશન/હતાશા છે તેમણે ગૌશાળામાં જઈને થોડો સમય જરૂર ગૌમાતાની સેવા અને દર્શનનો લાભ લેવો જોઈએ, જેનાથી આ બિમારી સમાપ્ત થઈ જાય છે.

#1857ની ક્રાંતિ ગૌમાતાનાં કારણે જ શરૂ થઈ અને આ દેશમાં 1 વર્ષમાં 4-5 કરોડ ગાયો કપાય છે. ગૌમાતા પ્રાણી નહીં પ્રાણ છે. આ દેશનું જાનવર નહીં જાન છે. આ દેશમાં ગાય છે યો આપણે છીએ અન્યથા આ દેશમાં પ્રલય તો એક દિવસ જરુર આવશે જે દિવસે આ ધરતી પર એક પણ ગાય નહીં હોય. આપણે ગાય નથી પાળતાં, ગાય આપણને પાળે છે. એવી જ ભાવના સાથે ગૌમાતાની સેવા આપણે કરવી જોઈએ. એવું આપણે આ સંકલ્પ સાથે જ કરી શકીએ છીએ કે "જ્યારે પણ દૂધ પીશું તો ગાયનું જ દૂધ પીશું, અન્યથા નહીં પીશું."

જે ગાય દૂધ ઓછું આપે છે તેના વાછરડાં મજબૂત બળદ બને છે અને જેનું દૂધ વધારે છે તેમનાં વાછરડાં થોડાં કમજોર બળદ હોય છે. 65 થી 60 લીટર દૂધ દેનારી ગાયો પણ આ દેશમાં છે જેની કિંમત લાખ રૂપિયા થી પણ વધારે હોય છે.શેરડીના ઉપરનો ભાગ ખવડાવવાથી ગૌમાતાનાં દૂધમાં વધારો થાય છે. ઓછું દૂધ આપનારી ગાયના વાછરડાંની ઝડપ વધારે હોય છે અને અધિક દૂધ દેનારી ગાયનાં વાછરડાંની ઝડપ ઓછી હોય છે. ગાયનાં વાછરડાંએ તેના વજનના 10માં ભાગનું દૂધ પાવું જોઈએ. એક આંચળનુ દૂધ વાછરડું/વાછરડી માટે અને ત્રણ આંચળનુ દૂધ આપણાં માટે. દૂધ કેલ્શિયમનો સૌથી મોટો સ્ત્રોત છે. દૂધમાં પ્રોટીન હોય છે અને તે જ દૂધ ના નિકાળવાથી સુકાઈને ટ્યુમરમાં બદલી જાય છે અને બાદમાં કૅન્સર થાય છે. વ્યક્તિગત રૂપથી સંભવ ના હોય તો સંગઠિત થઈને ગૌમાતાની સેવા કરવી જોઈએ.

અઢી થી 3 લીટર ગૌમૂત્ર એક દિવસમાં એક ગાય આપે છે. અર્ક બન્યાં બાદ જે માવો બને છે તેનો સાબૂન બને છે જે દરેક પ્રકારના ત્વચા સંબંધી રોગોમાં કામ આવે છે, આનું જ શેમ્પૂ બને છે, વૉશિંગ પાવડર પણ બને છે. ફર્શ સાફ કરવા માટે ગૌમૂત્ર ફિનાયલ પણ બને છે. ગાયના ગોબરથી ટાઈલ્સ બનવાનું પણ શરૂ થઈ ગયું છે, જેનાથી છત ઉપર લગાવવાથી કમ થી કમ 5° તાપમાન કમ થઈ જાય છે.

ગાયનું દૂધ + ગાયનું મૂત્ર + ગાયનું ઘી + ગાયનાં ગોબરનો થોડો રસ + દેશી ગુડ મિલાવવાથી #પંચામૃત બને છે. આમાં ગુડના સ્થાન પર શહદ પણ મિલાવી શકાય છે. આમ તો ઘી માં શહદ નથીં મિલાવતા પણ ગૌમૂત્રની સાથે ચાલે છે.

— પંચામૃત વાત, પિત્ત, કફ આ ત્રણેય પર એકસાથે જ કામ કરે છે અને ખૂબ જ ગહેરાઈથી કામ કરે છે.

— દૂધનું સર્ફેસટેન્સન બધી વસ્તુઓમાં સૌથી ઓછું છે. એટલે જ દુધ શરીરમાં લગાવવાથી કે તેને રૂ થી લૂછવાથી શરીર (ચામડી) ના અંદરથી પણ કચરો બહાર કાઢી નાખે છે.

— ગૌમૂત્રથી 48 અસાધ્ય બિમારીઓ ઠીક થઈ જાય છે જો કે બીજી કોઈ રીતે આસાનીથી ઠીક નથી થતી. ગાય માં છે અને માં કોઈપણ પરિસ્થિતિમાં પોતાનાં બચ્ચાંનું અહિત નથી કરતી. ગાય ક્યારેય પણ ઉલ્ટી નથી કરી શકતી.

— ભારત દેશમાં 1000 વર્ષોથી આવી પરમ્પરા રહી છે કે પહેલી રોટલી ગાયની હોય છે અને છેલ્લી રોટલી કુતરાની હોય છે. શાસ્ત્રો અનુસાર ગૌમાતા ને સાજ સંભાળીને રાખવી જોઈએ અને કુતરાને ક્યારેય બાંધીને ન રાખવો જોઈએ. પ્લાષ્ટિકની કોથળીમાં બાંધીને કોઈપણ પ્રકારનો કચરો ના ફેંકવો જોઈએ કેમ કે ગાય તેના ચક્કરમાં પુરું પ્લાષ્ટિક ખાઈ જાય છે.

— ગૌમૂત્ર વાત, પિત્ત અને કફનાશક છે. ગાયનું ગોબર વાત, પિત્ત અને કફનાશક છે. ગાયનું ઘી સૌથી વધારે કફનાશક અને પિત્તવર્ધક છે. પિત્તવર્ધક એટલે કે પિત્ત ઓછું થવાથી પિત્ત વધારનારુ છે. ગાયનું દૂધ પણ પિત્તવર્ધક છે અને કફનાશક, વાતનાશક છે.

— જર્સી ગાયનું કોઈ પણ વાછરડું બળદ નથી બનતું. ડેન્માર્કમાં મનુષ્યથી વધારે ગાયો છે તો પણ ત્યાંનું કોઈ પણ મનુષ્ય એક બૂંદ પણ દૂધ નથી પીતું. ચા કાળી(ઉકાળો) પીવે છે.

— ગીર ગાય થરપારકર, સાહિવાલ, કાંકરેજ, અમૃત મહલ, રાઠી આદિ દેશી ગાય આપણાં ભારતમાં જોવાં મળે છે.

ભારતીય ખેડૂતોએ ગૌસંસ્કૃતિ (ગાય) આધારિત ખેતી કરવી જોઈએ. અને આ પરંપરા ભારતમાં હજારો વર્ષોથી ચાલી આવે છે. પ્રતિ એકર ખેતી કરવા માટે ખેડૂતોએ એક દેશી ગાય પાળવી જોઈએ તેનાથી આપણાં જીવનમાં અનેક ફાયદાઓ થાય છે અને આનાથી ગૌમાતાનું જતન પણ થઈ જશે અને કતલખાના પણ બંધ થશે.

— સ્વર્ગીય શ્રી રાજીવભાઈ દિક્ષિતજી ના વ્યાખ્યાનો પર આધારિત...
આ પોસ્ટ મેં હિન્દી ભાષામાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરેલ છે.

—ભારતીય ચિકિત્સા પ્રણાલી ભાગ-1 પુસ્તકમાંથી સાભાર.

25/09/2025

📦 પ્રયોશા ધુપબતી મંગાવવા માટે:📦 https://wa.me/c/919904829278 🕉️

🐄 દેશી ગાયનું ગોબર, ઘી, ભીમસેની કપૂર, 35 કરતા વધારે હવનસામગ્રી, ગુગળ ,ચંદન, જટામાંસી, કપૂરકાચલી, રાળ અને સુગંધી ઓઈલ દ્વારા નિર્મિત ગોબર ધૂપબતી 🕉️

✅ અલગ અલગ ૨૪ ફ્લેવર જેવી કે ચંદન-ગુગળ, હવન, કેસરચંદન, વૈદિક હવન, નેચરલ વુડ, ફ્લોરા, ગુલાબ, વૈષ્ણવી ફ્લોરા, પારિજાત, પવિત્ર ગુગળ, સુખડ, રાતરાણી, લવંડર, સનફ્લાવર, ચંપા, જાસ્મિન, કેવડા, મોગરા, લોબાન અને બાળક વગેરે માં ઉપલબ્ધ છે.🕉️

✅ ધૂપબતી સળગાવવાથી વાતાવરણ શુધ્ધ, દિવ્ય, પવિત્ર અને જંતુમુક્ત બને છે. મન, ઘર અને શરીરમાં શાંતિનો અનુભવ થાય છે. નકારાત્મક ઉર્જાનો ઘર માંથી નાશ થાય છે. ડિપ્રેશન અને ફ્રસ્ટેશનને દૂર રાખે છે.🕉️

❌વાંસ, ❌કોલસા અને ❌ડી.ઈ.પી. ઓઈલ મુક્ત ધૂપબતી

🙏જય ગૌમાતા🙏

#ધૂપબતી
#પ્રયોશા_ધુપબતી
#સ્વદેશી

25/08/2025

✅મહાભારત મુજબ ગૌમાતામાં વસેલા દેવી-દેવતાઓ🕉️

🕉️ગૌ માતાના શિંગડાના ઉપરના ભાગમાં વિષ્ણુ ભગવાન શિંગડાના વચ્ચેના ભાગમાં ભગવાન બ્રહ્માજી અને શિંગડાના મૂળમાં દેવતાઓ વસેલા છે.

🕉️ગૌ માતાના લલાટમાં ભગવાન શંકર નો વાસ છે.

🕉️ગૌ માતાના બંને કાનમાં અશ્વિની કુમારનો વાસ છે.

🕉️ગૌ માતાના બંને નેત્રોમાં ચંદ્ર અને સૂર્ય દેવતાઓનો વાસ છે.

🕉️ગૌ માતાના દાંતમાં મરૂત દેવતા નો વાસ છે.

🕉️ગૌ માતાની જીભમાં માતા સરસ્વતી નો વાસ છે.

🕉️ગૌ માતાની ચામડીમાં પ્રજાપતિ દેવતા નો વાસ છે.

🕉️ગૌ માતાના શ્વાસમાં ચારેય વેદનો વાસ છે.

🕉️ગૌ માતાના નસકોરામાં ગંધ અને સુગંધિત પુષ્પનો વાસ છે.

🕉️ગૌ માતાના નીચેના હોઠમાં બધા વસુ પૃથ્વી વરૂણ વાયુ આકાશ દેવતાઓનો વાસ છે.

🕉️ગૌ માતાના મુખમાં અગ્નિદેવનો વાસ છે.

🕉️ગૌ માતાની કાંખમાં સાધ્યદેવતા નો વાસ છે.

🕉️ગૌ માતાના ગળામાં ભગવતી પાર્વતી માતા નો વાસ છે.

🕉️ગૌ માતાની પીઠમાં નક્ષત્રો રહેલા છે.

🕉️ગૌ માતાની ખુંધમાં આકાશ દેવતા નો વાસ છે જેને કારણે ગૌમાતા આકાશના કિરણો સૂર્યકેતુ નાડીમાં શોષી લે છે જેથી ગૌ માતાના દૂધ ગૌમૂત્ર અને ગોબરમાં સુવર્ણક્ષાર ભળે છે.

🕉️ગૌ માતાની નાસિકામાં જયેષ્ઠા દેવીનો વાસ છે.

🕉️ગૌ માતાની પૂંછડીમાં રમાદેવી નો વાસ છે.

🕉️ગૌ માતાની બંને બાજુની પાંસળીમાં વિશ્વ દેવતાઓનો વાસ છે.

🕉️ગૌ માતાની છાતીમાં ભગવાન કાર્તિકેય નો વાસ છે

🕉️ગૌ માતાની ઘૂંટણ પિંડી અને જાંઘમાં પાંચે વાયુનો વાસ છે.

🕉️ગૌ માતાની ખરીમા ગાંધર્વ અને સર્પનો વાસ છે.

🕉️ગૌ માતાના ચારેય આંચળમાં ચારે સમુદ્રનો વાસ છે.

🕉️ ગોમયે વસતે લક્ષ્મી ગૌમુત્રે ધનવંતરી આ એમ કહેવા માંગે છે કે ગૌ માતાના ગૌમૂત્રમાં સાક્ષાત માં ગંગાજી અને ભગવાન ધનવંતરી રહેલા છે. ગૌ માતાના ગોબરમાં મા લક્ષ્મીનો વાસ છે અને આ જ ગોબર અને હવન સામગ્રીમાંથી ગૌશાળાઓ ધુપબતીનું નિર્માણ કરતા હોય છે તો આપ આપની આસપાસની ગૌશાળામાંથી ગોબર ધુપબતી મંગાવી શકો છો અથવા આપેલ નંબરમાં ૯૯૦૪૮૨૯૨૭૮ માં whatsapp કરવાથી બધી માહિતી મંગાવી શકો છો અને ધૂપબતી મેળવી શકો છો.

🕉️🕉️ જય ગૌમાતા🕉️🕉️

04/08/2025

નવરાત્રી પર્વ માતાજી માટે ધૂપબતી

#નવરાત્રી #ધૂપ #ગૌમાતા #ગૌ #માતાજી #ગાય #આરતી #યજ્ઞ #ગૌવંશ #ધૂપબતી #ગોબર #હવન #યજ્ઞ #ગૌમાતા #ગૌશાળા #કપૂર #હવનસામગ્રી #ઘી #દેશી_ગાય #અગરબતી #સાંબરાની #ગુજરાત
#ગોંડલ #રાજકોટ #સુરત #અમદાવાદ #ગાંધીનગર #ગુજ્જુ

#ગરબા #ગરબી #ગુજરાતી #ગુજ્જુ

આપણા ૠષિઓનુ  #ધૂપ વિજ્ઞાન આજે વિજ્ઞાન પણ સ્વિકારે છે #હવન   મિત્રો સુંદર સ્મિત સાથે જેમને પ્રથમ ચિત્ર માં જોઈ રહ્યા છો ત...
07/07/2025

આપણા ૠષિઓનુ #ધૂપ વિજ્ઞાન આજે વિજ્ઞાન પણ સ્વિકારે છે
#હવન મિત્રો સુંદર સ્મિત સાથે જેમને પ્રથમ ચિત્ર માં જોઈ રહ્યા છો તે ડૉક્ટર વિજયલથા રસ્તોગી છે અને બીજા ચિત્રમાં તેમણે કરેલા રિસર્ચ અને મેળવેલ પેટેન્ટ વિશે વધુમાં આ નીચે લખેલ માહિતી થી તમારા ચહેરાપર પણ સ્મિત આવી જશે. અને દરેકને "સનાતની ભારતીય વૈદિક સંસ્કૃતિ" સાથે જોડાયેલા હોવાનું આગવું ગૌરવ અનુભવાશે.
તેમણે સાબિત કર્યું કે આપણી વેદિક હવન કરવા ની પ્રક્રિયા પાછળ મૂળભૂત ઍરપ્યુરીફિકેશન અને સંપૂર્ણ આરોગ્ય લક્ષી કારણ જોડાયેલ છે.

✅ ડૉ. વિજયલથા રસતોગી અજમેર, રાજસ્થાનની જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજ (Jawaharlal Nehru Medical College) અને તેના એસોસિએટેડ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સમાં માઈક્રોબાયોલોજી વિભાગમાં પ્રોફેસર છે. તેમનું મુખ્ય સંશોધન (research) એન્ટિફંગલ (antifungal) અને એન્ટિબેક્ટેરિયલ ડાયગ્નોસ્ટિક્સ, એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR), તેમજ પરંપરાગત ઉપચાર પદ્ધતિઓ, ખાસ કરીને “હવન” (Hawan) પર કેન્દ્રિત છે.

🔹તેમનો fungal research ખાસ કરીને Trichosporon નામના ફંગસના મોલેક્યુલર ઓળખ અને એન્ટિફંગલ ટેન્સિટિવિટી (antifungal susceptibility) આસપાસ છે, જે ક્લિનિકલ સેટિંગ્સ અને દર્દીઓમાં મહત્ત્વનું રોલ ભજવે છે. તેમણે હોસ્પિટલના operation theater, ICU અને microbiology લેબ્સમાં હવામાં ફેલાયેલા ફંગલ સ્પોર્સ વિશે aeromycoflora ના અભ્યાસો કર્યા છે. આ સંશોધનથી હોસ્પિટલ ઇન્ફેક્શન કંટ્રોલ માટેની પ્રક્રિયાઓ સુધારવામાં મદદ મળી છે.

🔹બેક્ટેરિયલ સંશોધનમાં તેમણે Klebsiella pneumoniae, MRSA, Pseudomonas aeruginosa, Proteus અને poultryમાંથી મળતા રેસિસ્ટન્ટ E. coli પર અભ્યાસ કર્યો છે, જે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) અને તેના વૈજ્ઞાનિક નિયંત્રણને સમજવામાં મહત્વપૂર્ણ છે.

🔹પરંપરાગત ઉપચારમાં તેમણે #હવન થેરાપી પર અનોખું સંશોધન કર્યું છે, જેમાં હવનમાંથી નીકળતા ધૂમ્રમાં (Hawan medicinal smoke) એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ, એન્ટીઑક્સિડન્ટ અને એર પ્યુરિફાયર જેવા ગુણો હોવાનું વૈજ્ઞાનિક પુરાવા સાથે રજૂ કર્યું છે. આ માટે તેમને ICMR અને રાજસ્થાન યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સેસ (RUHS) તરફથી ગ્રાન્ટ અને માન્યતા મળી છે.

🔹તેમણે હવન આધારિત ઇન્હેલેશન થેરાપી માટે પેટેન્ટ મેળવ્યું છે, જેમાં નિયંત્રિત માહોલમાં હવનના ધૂમ્રથી દર્દીઓમાં બેક્ટેરિયા દુર કરવામાં સફળતા મળી છે (અમુક કેસોમાં ~90% સુધી બેક્ટેરિયા ક્લિયર થયા). તેમના અભ્યાસ દરમિયાન GC–MS (Gas Chromatography–Mass Spectrometry) થી હવાન ધૂમ્રના રસાયણોનું વિશ્લેષણ કરીને તેનો વિજ્ઞાન આધાર પૂરવો કર્યો છે.

🔹ડૉ. રસતોગી ને હવન માં ઉપયોગ થતી સમાગ્રી (Havan samagri)ના એક્સ્ટ્રાક્ટના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણો અંગે પણ પેટેન્ટ મળ્યું છે. RUHS-ICMR સાથે મળીને તેમણે “હવનના ધૂમ્ર અને હવન સમાગ્રીના એક્સ્ટ્રાક્ટનો એન્ટી-ટ્યુબરક્યુલોસિસ અને એન્ટી-વાયરલ અભ્યાસ” માટે રિસર્ચ પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેના માટે આશરે ₹5 લાખનો ગ્રાન્ટ મળ્યો હતો.

🔹તેમના પ્રસિદ્ધ સંશોધન પેપર્સમાં હવનના ધૂમ્ર વિશે GC–MS થી તેની કેમિકલ કૅરેક્ટરાઇઝેશન અને તેની બેક્ટેરિયાને મારનાર ક્ષમતા દર્શાવતું “Quality analysis, anti-bacterial activity and chemical characterization of ethnobotanical (Hawan) medicinal fumes” નામનું પેપર ખૂબ નોંધપાત્ર છે.

🔹ડૉ. રસતોગીનું કામ તેમના ક્ષેત્રમાં નવા દિશા દર્શાવતું છે, ખાસ કરીને પરંપરાગત ઉપચાર પદ્ધતિઓને વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત કરવાની દિશામાં, તેમજ એમઆર, ફંગલ ઇન્ફેક્શન અને હવન ના વૈજ્ઞાનિક અભ્યાસ માટે રાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવવામાં સફળ રહ્યું છે.

Address

B/H ITI.
Gondal
360311

Telephone

+919904829278

Website

Alerts

Be the first to know and let us send you an email when Prayosha farm posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Prayosha farm:

Share

Category